Bharuch Nagarpalika


Introduction

ભરૂચમાં સને ૧૬૧૬માં પહેલી બ્રિટીશ વખાર અને ત્યારબાદ સને ૧૬૧૭માં ડચ વખારની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ઔરંગઝેબે તેના ફરતે સંરક્ષણાત્મક મજબુત દિવાલ બાંધી તેનું નામ શુકાબાદ પાડ્યું અને સને ૧૭૭૨થી તે બ્રિટીશરોના શાસન હેઠળ આવ્યું. ભરૂચ હાલ ભરૂચ જિલ્લાનું તેમજ તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીં શેક્ષણિક સંસ્થાઓ, વેપાર રોજગારનું સ્થળ, વૈદકીય સારવારના સાધનો, જેવા કે, આર્યુવેદિક ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલો, સિવિલ હોસ્પીટલ, સરકારી, અર્ધસરકારી કચેરીઑ તેમજ વાહન વ્યવહારની સગવડતાઓ જેવી કે મુંબઈ-અમદાવાદ બ્રોડગેજ નેરોગેજ રેલ્વે લાઇન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસને લીધે વિકસતું શહેર છે.ભરૂચ નગરપાલિકાની રચના તા. ૦૬/૦૭/૧૯૧૫ના રોજ થયેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની જોગવાઈ મુજબ ભરૂચ નગરપાલિકાને વિસ્તાર વિકાસ સત્તા મંડળ તરીકે મુક્કર કરીને અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે.

Shri. Bhupendra Patel | (Hon'ble Chief Minister, Gujarat)

Shri. Vibhutiba J Yadav | (President,Bharuch Nagarpalika)

Shri. Harishchandra J Agraval | (Chief Officer,Bharuch Nagarpalika)